- દિવ્યાંગજનોના અધિકારો માટે રાજય માં પ્રર્વતતા કોઇ પણ કાયદાઓ, નિતિઓ, કાર્યક્ર્મો તથા પ્રક્રિયાઓ, કે જે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેના અધિકારોના અધિનિયમ-૨૦૧૬ ની સાથે સુસંગતતા ન હોય, તેને અલગથી તારવી તેમા જરૂરી સુધારા વધારા માટેના ઉપાયો તેમજ ભલામણો કરવી.
- દિવ્યાંગજનોના અધિકારો માટે રાજય માં પ્રર્વતતા કોઇ પણ કાયદાઓ, નિતિઓ, કાર્યક્ર્મો તથા પ્રક્રિયાઓ, કે જે દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટેના અધિકારોના અધિનિયમ-૨૦૧૬ ની સાથે સુસંગતતા ન હોય, તેને અલગથી તારવી તેમા જરૂરી સુધારા વધારા માટેના ઉપાયો તેમજ ભલામણો કરવી.
- રાજ્ય સરકાર દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોની રક્ષા માટે ઘડવામાં આવેલ કાયદા અને યોજનાઓની સમીક્ષા કરી તેના અસરકારક અમલીકરણ માટે પગલા લેવા અથવા સંબંધિત અધિકારીને સુચના / ભલામણ કરવી.
- દિવ્યાંગજનોને રોજગારીમાં રુકાવટ બનતા પરિબળોની સમીક્ષા કરી તેઓને તેમના અધિકારો પ્રાપ્ત થાય તે માટે નિવારક ઉપાયો સુચવવા.
- દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોના અમલીકરણ માટે સંશોધનો (રિસર્ચ) ની પ્રવૃતિને હાથ ધરવી, તેમજ પ્રોત્સાહન આપવું.
- દિવ્યાંગજનોના અધિકારોની સુરક્ષા તેમજ તેમનામાં જાગૃતિ આવે તેવા કાર્યો હાથ ધરવા.
- આ અધિનિયમની જોગવાઇઓની મર્યાદામાં રહી રાજ્ય સરકાર દ્રારા બનાયેલ યોજનાઓ, નિતિઓ તેમજ કાર્યક્ર્મો પર દેખરેખ રાખવી.
- દિવ્યાંગ વ્યક્તિઓ માટે રાજય સરકાર દ્રારા સુચવાયેલ ફંડ વપરાશનો નિયમન કરવું.
|