શ્રી રબારી બાબુભાઈ લક્ષ્મણભાઈ ,રેલ્વે પૂર્વ , જોગણી માતા ના મંદિર પાસે , મુ. કલોલ , જી. ગાંધીનગર ખાતે રહે છે . તેઓ એક વિકલાંગ વ્યક્તિ છે . કુદરતે તેઓ સાથે અન્યાય કર્યો છે, પણ સાથે સાથે એવી શક્તિ આપી છે કે જાત મહેનત કરી તેઓ ના કુટુંબ નું ગુજરાન ચલાવી શકે. તેઓએ ધોરણ ૯ પાસ કર્યું છે. કુટુંબ ની જવાબદારી ને લીધે આગળ અભ્યાસ પડતો મૂકી વારસાગત પશુપાલન નો વ્યવસાય સ્વીકાર્યો , તેઓ ના પિતા છુટક મજુરી કરી માંડ કુટુંબ નું ભારણ પોષણ કરે છે . કુટુંબ પાસે માત્ર એક ગાય હતી, વાર્ષિક રૂપિયા ૧૦,૦૦૦ /- આવક હતી.
વર્ષ ૨૦૦૬ માં ગુજરાત ગોપાલક વિકાસ નિગમ , ગાંધીનગર માંથી લોન મેળવવાની જાહેરાત બહાર પડતા અરજી નિગમ દ્વારા પશુપાલન ના વ્યવસાય માટે રૂપિયા ૩૦,૦૦૦/- ની લોન મંજુર કરવામાં આવી . નિગમ માંથી મળેલ લોન માંથી બે ભેંસો ખરીદ કરી ભેંસ ના દૂધ નું વેચાણ કરવાનો વ્યવસાય સરુ કર્યો. દૂધ ના વેચાણ માંથી આવક થતા બચત કરી વધારા ની બે ગાય ખરીદી આ દૂધ ના વ્યવસાય દ્વારા તેઓ વાર્ષિક રૂપિયા ૨૦,૦૦૦/- ની આવક મેળવે છે .આજ દિન સુધી તેઓ નિયમિત હપ્તો ભરતા આવ્યા છે. એક પણ હપ્તો ચુક્યાનથી.
આ નિગમ માંથી મળેલ લોન માંથી તેઓ ના પશુપાલન ના વ્યવસાય માં ઉતરોઉંતર પ્રગતિ થયેલ છે જેના ફળ સ્વરૂપે હાલ માં તેઓ પાસે ત્રણ ગયો અને બે ભેંસ નો વધારો થયેલ છે અને અગાઉ કરતા બમણી વાર્ષિક આવક મેળવી, સુખે થી તેઓના કુટુંબ નો જીવન નિર્વાહ કરી રહ્યા છે. |