ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી નીચે જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે.
- અનુસૂચિત જાતિઓ
- વિકસતી જાતિઓ
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
- અલ્પ સંખ્યક સમુદાયો
અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓનું બહોળા સ્વરૂપે નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.
- શિક્ષણ
- આર્થિક ઉત્કર્ષ
- આરોગ્ય અને આવાસન
- અન્ય યોજનાઓ