યોજનાની શરૂઆત |
|
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૩૧/૦૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક અપગ/૧૦૨૦૧૮/૧૧૮૦૧/ન.બા-૨/છ-૧ થી દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના અમલમાં આવેલ છે. |
|
પાત્રતાના ધોરણો |
|
- ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા(ફક્ત અસ્થિવિષયક દિવ્યાંગતા)
- બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનારને
- દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતાનું દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઇએ.
|
|
સહાયનું ધોરણ |
|
દિવ્યાંગોને ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના હેઠળ સ્કુટરની બેઝીક કિંમત + ડીસેબલ કીટના ૫૦ ટકા અથવા રૂ. ૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. |