ભારત સરકાર હેઠળની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ |
- ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા National Scholarship Portal (www.scholarships.gov.in) પર નીચે મુજબની શિષ્યવૃત્તિ યોજના ચાલુ છે.
|
1.દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃતિ. |
|
2.દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ. |
|
3.દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિ. |
- (શ્રેષ્ઠતાના ૨૪૦ અધિસુચિત સંસ્થાનોમાં સ્નાતક/ સ્નાતકોતર ડિગ્રી અથવા ડિપ્લોમા)
|
પાત્રતાની શરતો: |
- શિષ્યવૃતિ માત્ર ભારતીય નાગરિકો માટે જ ખુલ્લી છે.
|
- ૪૦% થી વધુ અશક્તતા ધરાવતા વિદ્યાર્થી જેઓ મેડિકલ ઓથોરિટી દ્વારા નિયત કરાયેલ દિવ્યાંગતા પ્રમાણપત્ર ધરાવતા હોય તેઓને લાગુ પડે છે. દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬માં પરિભાષિત કર્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મેળવી શકશે.
|
આવકની સીમા: |
- પ્રી-મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ - રૂ. ૨.૫૦ લાખ.
|
- ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃતિ - રૂ. ૮.૦૦ લાખ.
|
અરજી કરવાની પધ્દ્ધતિ: |
- અરજીઓ www.scholarships.gov.in વેબસાઇટ મારફતે મંગાવવામાં આવે છે.
|
- અરજી ઓનલાઇન રજુ કરવી જોઇશે. બધા જ જરૂરી દસ્તાવેજો જેવા કે ફોટોગ્રાફ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, આધારકાર્ડ, કુટુંબની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો દાખલો, ફી ભર્યાની પહોંચની ખરી નકલ (ટ્યુશન ફી, પરીક્ષા ફી, પ્રવેશ ફી), વિદ્યાર્થીની બેંક પાસબુકની નકલ- સાધનિક પુરાવા વગેરે નિયત પત્રકમાં યોગ્ય ભરીને ઓનલાઇન અરજી ભરવાની રહેશે.
|
- શાળા/કોલેજ/ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓએ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી અને એડમિશન ફી ભરવાની તથા Online અરજી ચકાસણી કરીને જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે.
|
- જિલ્લા/રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીના ફોર્મની ચકાસણી કરી શિષ્યવૃતિ મંજુર/ના-મંજુર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
|
- ઓન લાઈન પોર્ટલ યોજના પરની અરજીની પસંદગી તથા ચુકવણીની કાર્યવાહી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, ભારત સરકાર દ્વારા કરવામાં આવશે.
|
- ગાઇડલાઇન તથા અન્ય માહિતી http://disabilityaffairs.gov.in પર આપેલ છે.
|
શિષ્યવૃતિ પસંદગી માટે ગુણવત્તા ધોરણ: |
- યોજનામાં જણાવ્યા મુજબ પાત્રતાની શરતોની પરિપૂર્ણતા.
|
- સંસ્થા દ્વારા, જિલ્લા કક્ષાએ તથા રાજય કક્ષાએ અરજી ચકાસણી કરી મંજુર અરજીઓ.
|
- રાજયને પ્રાપ્ય સ્લોટની સંખ્યા.
|
- લાયકાત પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારીના સંદર્ભમાં ઉમેદવારની ગુણવત્તા.
|
શિષ્યવૃત્તિની ચુકવણી: |
- આખરી પસંદગી પામેલ અને મેરીટમાં સામેલ લાભાર્થીઓની શિષ્યવૃત્તિ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ મારફતે અમલી બનશે અને દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા રકમ સીધે સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે.
|