ગુજરાત રાજ્યમાં બાળ ગુનેગારીનું પ્રમાણ ઘટાડવા માટે ધારાકિય યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જે મુજબ બાળ ન્યાય ધારો ર૦૦૦ ગુજરાત રાજ્યમાં અમલમાં છે.
આ ધારા હેઠળ ૧૮ વર્ષ સુધીના બાળકો અને બાળાઓ કે જેઓ ઉપેક્ષિત, રખડતા, અનાથ નિરાધાર અને ભિક્ષાવૃત્તિ તરફ વળેલ હોય તેઓને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા જયારે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળેલા બાળકોને (ચાઇલ્ડ વેલફેર કમીટી દ્વારા દરેક જિલ્લામાં આ ધારા હેઠળ સ્થપાયેલ ૧૬ સરકારી અને ૯ સ્વૈચ્છિક બાળ સંરક્ષણ ગૃહોમાં દાખલ કરી તેઓના રક્ષણ, સારવાર અને જરૂરિયાતને ધ્યાનમાં લઇ પુનઃસ્થાપન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. |