સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૧૪/૭/ર૦૦૦ ના ઠરાવથી અમલી બનેલ પંડિત દિનદયાળ ઉપાઘ્યાય અંત્યોદય સ્વચ્છતા બજાર યોજના સેનેટરી માર્ટ યોજના અંતર્ગત સફાઈ કામદારો કે તેઓના આશ્રિતોની રજીસ્ટર્ડ સહકારી મંડળી દ્વારા સજળ જાજરૂનું બાંધકામ અને સ્વચ્છતા વિષયક સાધનસામગ્રીના ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિઓ કરવાની રહેશે.
૧૮ થી પપ વર્ષની વય મર્યાદમાં આવતાં સફાઈ કામદારો કે તેમના આશ્રિતો આ યોજનાનો લાભ લઈ શકશે જેમાં મંડળીના મુખ્ય પ્રયોજકની લધુત્તમ ધોરણ૭ પાસ હોવી જોઈએ. આ યોજના હેઠળ મંડળીનાં સભ્યદીઠ નીચે દર્શાવેલ વિગતોએ ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ રપ સભ્યોની મંડળીને રૂા. પ.૦૦ લાખ સુધીનું ધિરાણ/સહાય મળવાપાત્ર છે. |
|
ડેટા ટેબલ સેનેટરી માર્ટ યોજના (૧) | એન.એસ.કે.એફ.ડી.સી. નવી દિલ્હીની લોન ૬ % ના દરે | ૩પ% | ૭,૦૦૦/ | (ર) | માર્જીનમની (બિનવ્યાજકીય લોન) | ૧પ% | ૩,૦૦૦/ | (૩) | ભારત સરકારશ્રીની સહાય | પ૦% | ૧૦,૦૦૦/ | | કુલ રૂા. | ૧૦૦% | ર૦,૦૦૦/ | |
|
સફાઈ કામદારો કે તેમના આશ્રિતો લધુત્તમ ૧૦ અને મહત્તમ રપ સભ્યોની સૂચિત મંડળી બનાવીને આ યોજનાનો લાભ લેવા માટે નિગમ દ્વારા વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવે તે સમયમર્યાદામાં અરજી કરી શકે. આવી સૂચિત મંડળીઓને સૈઘ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ જિલ્લા રજીસ્ટ્રાર (ઉ), જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં તેની નોંધણી કરાવવાની રહેશે.
મંડળીની નોંધણી જયા બાદ તેમજ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાઓ દ્વારા દુકાનગોડાઉનની ફાળવણી થયા બાદ નિગમની કારોબારી સમિતિ દ્વારા નાણાંકીય મંજૂરી મળ્યા બાદ જ મંડળીઓને ધિરાણની રકમ મળવાપાત્ર થશે.
જિલ્લા કક્ષાની નોડલ એજન્સીની બેઠકમાં નાણાંકીય મંજૂરી અર્થે સ્પષ્ટ રીતે ભલામણ કરવામાં આવેલ દરખાસ્તોને નિગમની કારોબારી સમિતિની નાણાંકીય મંજૂરી આપે પછી જ ધિરાણની રકમ મળવાપાત્ર થશે.
સેનેટરી માર્ટ મંડળીઓને બજાર મળી રહે તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. રર/૮/ર૦૦૦ના ઠરાવની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ તેની સ્વચ્છતા વિષયક સાધનસામગ્રીની વાર્ષિક જરૂરીયાતના પ૦% જેટલી ખરીદી અથવા રૂા. ર.૦૦ લાખની ખરીદી આ બંનેમાંથી જે વધુ હોય તેટલી રકમની ખરીદી સેનેટરી માર્ટ મંડળીઓ પાસેથી જ કરવાની રહેશે.
સેનેટરી માર્ટ મંડળીઓને મહાનગરપાલિકા/નગરપાલિકા દ્વારા રૂા. પ૦૦/ ના ટોકન ભાડાથી દુકાનગોડાઉન ફાળવવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. જો રૂા. પ૦૦/ ના ટોકન ભાડાથી દુકાનગોડાઉન ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં દુકાનગોડાઉનની વાસ્તવિક કિંમતના પ૦ ટકા રકમ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાએ ભોગવવાની રહેશે અને ૩૦ ટકા રકમ નિગમ દ્વારા સબસીડી તરીકે ચૂકવવામાં આવશે જયારે બાકી રહેતી ર૦ ટકા રકમ મંડળીએ ભોગવવાની રહેશે.
નાણાંકીય મંજૂરી માટે પસંદ કરવામાં આવેલ સેનેટરી માર્ટ મંડળીના સભ્યોને ટેકનિકલ તેમજ વ્યવસાયી તાલીમ આપવાની પણ જોગવાઈ છે જે માટે તાલીમ લેનાર લાભાર્થીઓને લાભાર્થી દીઠ માસિક રૂા. પ૦૦/ લેખે સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. |