સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્યવસાયને કારણે વર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો નો વિકાસ થઈ શકે અને અન્ય જાતિઓની હરોળમાં આવી શકે તે માટે રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૮૯/૧૬૬ર/અ, તા.૧૩/૦ર/૧૯૯૦થી રબારી-ભરવાડ જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે આમ છતાં સરકારનો આ હેતુ સિઘ્ધ કરવા વધુ સરળતા રહે અને રબારી-ભરવાડ જેવી કોમોના આર્થિક ઉત્કર્ષ માટે જરૂર જણાયે વધુ નવી યોજનાઓ કાર્યાન્વિત કરી શકાય અને પશુપાલન ઉપર નિભાવ કરતી આ કોમો જયારે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમના સામાજીક ઉપરાંત શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે પછાત વર્ગોના રાષ્ટ્રીય નિગમ પાસેથી સીધી સહાય મેળવી શકાય તે આશયથી હાલના ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડને નિગમમાં રૂપાંતર કરવા સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૯૩/૧પ૩/૯પ/અ-૧, તા.૧૦/૦૮/ર૦૦૦થી ઠરાવ કરવામાં આવેલ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ. તા.૦૧/૦૬/ર૦૦૧થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે. |