એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા: |
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
|
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ: |
- આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.
|
આ યોજનામાં અરજી પત્રક: |
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો " મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઓનલાઇન આવેલ અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.
|