યોજનાનો હેતુ |
- અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભરછે.આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી,આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકરમાટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે
- યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૮૬
|
પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦ રહેશે
- સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે
- કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે
- સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે
- સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી વેંચી શકશે નહી
- લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.
- આ યોજના હેઠળ સરકારી જમીન કે ખાનગી વ્યકિત પાસેથી ખેતીની જમીન ખરીદવામાટે સહાય મળવા પાત્ર થશે
|
સહાયનું ધોરણ |
- એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકરમાટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય
|